About
Shraddha, Seva, and Sadachar

ગુજરાતી
છેલ્લા 33 વર્ષોથી શાસનની સેવા કરી રહેલ અમારા સમકિત ગ્રુપની સ્થાપના સંવત ૨૦૫૦માં ફક્ત ૧૫ યુવાનોથી થઈ હતી, જે આજે 500 થી વધુ ધર્મપ્રેમી યુવાનોથી પલ્લવિત થયું છે.
શ્રદ્ધા સેવા અને સદાચારને એક માત્ર લક્ષ્ય બનાવીને કાર્ય કરતાં અમારા આ ગ્રુપનો વ્યાપ ફક્ત ગોરેગાંવ (મુંબઈ) સુધી સીમિત ન રહેતા સમગ્ર ભારતભરમાં પોતાના ધર્મકાયોઁથી પ્રખ્યાત બન્યું છે.
ફક્ત સાત જાત્રા કરાવવાની પ્રવૃતિથી શરૂ કરીને આજે દિક્ષા પ્રસંગોનું સંચાલન, શિબિરોનું સંચાલન, ધર્મનાટિકા, ગુરૂવૈયાવચ્ચ, તીર્થોપાસના વગેરે પ્રવૃતિ ધ્વારા શાસનની સેવા કરી રહ્યું છે.
નિત્ય બેસણા, પ્રતિકમણ તથા ચોવિહાર વગેરે ધર્મપ્રવૃતિને જીવનમાં ઉતારનારા યુવાનોએ અમારા ગ્રુપની શોભા વધારી છે.